હાલ રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં ફરી દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે. જેની સામે 388 દર્દીઓ સાજા થયા છે અને હાલ નવ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2294 એક્ટિવ કેસ છે. જેમાંથી 09 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2285 દર્દીઓ હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,69,225 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે જ સમયે, અત્યાર સુધીમાં કુલ 11055 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો કોરોના કેસને લઈને જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. 218 દર્દીઓને રજા આપવામાં આવી છે. જે બાદ અમરેલીમાં 8 નવા કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં 7 કેસ નોંધાયા છે. બનાસકાંઠા અને ભરૂચમાં 14-14 નવા કેસ નોંધાયા છે. ભાવનગરમાં 6 કેસ અને બોટાદમાં 1 કેસ નોંધાયો છે.
ગાંધીનગરમાં આઠ કેસ નોંધાયા છે. જામનગરમાં 5 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 6, ખેડામાં 2 કેસ, નર્મદામાં 1 કેસ, કચ્છમાં 8 કેસ, મહેસાણામાં 27 કેસ, મોરબીમાં 29 કેસ, નવસારીમાં 1 કેસ, પાટણમાં 5 કેસ, પોરબંદરમાં 2 કેસ, રાજકોટમાં 19 કેસ સાબરકાંઠામાં 6, સુરતમાં 35, પંચમહાલમાં 1 કેસ, વડોદરામાં 34 અને વલસાડમાં 5 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાથી દર્દીના મોતની વાત કરીએ તો રાજ્યમાં 10 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું. આ બાદ 21 માર્ચે ભરૂચમાં થયેલી બોલાચાલીમાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં 3 વર્ષના બાળકનું મોત થયું હતું. બીજા દિવસે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.
ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.
જે બાદ 25 માર્ચે રાજ્યમાં બે દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત નીપજ્યું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આજે વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, તાંદલજા, સુભાનપુરા, અકોટા, દિવાળીપુરા, છાણી, નવાપુરા, તરસાલી, માંજલપુર, સુદામાપુરી અને સાવદ વિસ્તારમાં કોરોનાના 23 નવા કેસ નોંધાયા છે. કુલ 516 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 23 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 136 એક્ટિવ કેસમાંથી 127 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને 9 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં 1 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 8 દર્દીઓ ઓક્સિજન પર છે.