સાચી શ્રધ્ધાથી માનેલી માનતા મોગલ માં એ કરી પૂરી- ખોવાયેલી વસ્તુ મળી જતા યુવક આવી પહોચ્યો કબરાઉધામ....


માં મોગલ તો સાક્ષાત દેવી છે. સંતોની પવિત્ર ભૂમિ પર દેવી દેવતાઓ નો વાસ છે. તેમના પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી  માં મોગલ ભક્તોની બધી સમસ્યા દુર કરે છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા કહેવાય છે. જયારે પણ ભક્તોના જીવન માં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે.

મણીધર બાપુ કે જેઓ કચ્છમાં આવેલા મોગલ ધામે બિરાજમાન છે. જેમણે યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે, બેટા શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે તેનું 4 થી 5 તોલા ઘરેણું ઘરમાં ખોવાય ગયું હતું. તેથી પરિવાર ખુબ જ હેરાન પરેશાન હતું. ઘણી જગ્યા એ જોયું છતાં ક્યાંય ભાળ થઇ નહિ તેથી તેને મનમાં ધારી લીધું અને મોગલ માં ની માનતા માની.

તો એ જ દિવસે એ પરિવારને ઘરમાંથી જ 4 થી 5 તોલા સોનું મળી ગયું. જેથી એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 21000  રૂપિયા લઈને આવી પહોચ્યો. મણીધર બાપુ એ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ પર માત્ર વિશ્વાસ રાખવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે.

મણીધર બાપુએ એ 21000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરી ને પરત આપી અને કહ્યું કે આ પૈસા માંથી સાડા દસ હજાર તારી દીકરી અને તારી જ કાકાની દીકરીને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલને આવી કોઈ ભેટ કે દાનની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે. 

Post a Comment

0 Comments