BIG BREAKING: સિક્કિમમાં સેનાનો ટ્રક ખીણમાં ખાબકતાં સર્જાયો અકસ્માત, આર્મીના 16 જવાનો શહીદ, 4 ઘાયલ - "ઓમ શાંતિ"

સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનો શહીદ થયા છે. સ્થળ પર ભીડ જમા થઈ ગઈ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં થયો હતો.

મળતી માહિતી મુજબ, સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો. ગેમા જવાના રસ્તે વળાંક પર ઢળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખાડામાં ખાબક્યું હતું.

માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કહેવાય છે કે, 4 ઘાયલ જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા મૃત્યુ પામ્યા હતા.

ભારતીય સેનાએ આ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવશે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર સિક્કિમમાં અકસ્માતમાં સામેલ સેનાનું વાહન ચટેનથી થંગુ તરફ જઈ રહેલા ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતું. ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું. તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્ર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

સમાજવાદી પાર્ટીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. SPએ ટ્વિટ કર્યું- ઉત્તર સિક્કિમમાં આર્મી ટ્રક અકસ્માતમાં 16 જવાનો શહીદ અને 4 જવાનો ઘાયલ થવાના સમાચાર, ખૂબ જ દુઃખદ. ભગવાન શહીદોની આત્માને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના, સરકારે રાહત અને બચાવનું કામ ઝડપી કરવું જોઈએ. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

Tags

Post a Comment

0 Comments