ફિલ્મ જગતમાં છવાયો માતમ- એક્ટ્રેસે 20 વર્ષની ઉંમરે મેકઅપ રૂમમાં ગળેફાંસો ખાઈ ટુકાવ્યું જીવન 'ઓમ શાંતિ'

હાલમાં ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં તુનિષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટના સમયે તે મેક-અપ રૂમમાં હતી. ગેટ અંદરથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્ટાફ અને સાથીદારો પાસેથી માહિતી લેવામાં આવી રહી છે. તુનિષા શર્મા ટીવી સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબુલ અને કેટરિના કૈફની ફિલ્મ ફિતુર પછી ચર્ચામાં આવી હતી. હાલમાં તે અભિનેતા શિવિન નારંગ સાથે એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહી હતી.



આ ઘટના અલીબાબાના સેટ પર બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તુનિષા શનિવારે તેની કો-સ્ટાર શીજાનના મેકઅપ રૂમમાં પહોંચી હતી. જ્યારે શીજાન શૂટિંગમાં વ્યસ્ત હતો. શીજાન કહે છે કે, જ્યારે તે મેકઅપ રૂમમાં પહોંચ્યો ત્યારે તેને ગેટ અંદરથી બંધ જોવા મળ્યો. તેણે ઘણી વખત ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. જે બાદ તેણે મેક-અપ રૂમનો દરવાજો તોડીને જોયું તો અંદર તુનીષા લટકતી હાલતમાં મળી હતી. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.


તુનિષા શર્માએ ઘણી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કરીને નાની ઉંમરમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી. આજે અચાનક આત્મહત્યાના સમાચારે ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. આ ઘટનાને લઈને તમામ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ તેમના જવાબો શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, આત્મહત્યાનું કારણ હજુ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે, તુનિષા કોઈપણ પ્રકારના ડિપ્રેશનમાં ન હતી. કે પછી કોઈ અન્ય કારણ હતું.


કહાની-2 અને ફિતૂરમાં કરેલું કામ તુનીષા શર્મા યુવા કેટરીના કૈફ તરીકે ફિતુર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં ચર્ચામાં આવી હતી. આ સાથે તેણે વિદ્યા બાલનની ફિલ્મ કહાની-2માં કામ કર્યું હતું. તે ઈન્ટરનેટ વાલા લવ, ઈશ્ક સુબલ્લાહ, ગયાબ, શેર-એ-પંજાબ મહારાજા રણજીત સિંહ જેવા શોમાં પણ જોવા મળી હતી. પોતાની કારકિર્દીમાં આગળ વધીને તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું. ટીવીની જેમ તેને ફિલ્મોમાં પણ સફળતા મળી.

તુનિષાની આત્મહત્યાથી ચાહકો પણ આશ્ચર્યચકિત છે. બનાવ અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું કારણ હશે કે, તુનીષાએ અચાનક આટલું મોટું પગલું ભરવું પડ્યું? તુનિષાને શું તકલીફ હતી. તુનિષા વિશે હાલ કોઈ કંઈ કહેવા તૈયાર નથી. એવી અપેક્ષા છે કે, અભિનેત્રીની આત્મહત્યાને લગતા તમામ પ્રશ્નોના જવાબ ટૂંક સમયમાં મળી જશે.

Post a Comment

0 Comments