સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર 4 ગોથા ખાઇ જતાં એક યુવકનું કરુણ મોત



આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાંથી ફરીવાર એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા ઉમિયા ચોકમાં વહેલી સવારે પોણા ચારેક વાગ્યે એક કાર પલટી મારી જતાં ચાર ગોથા ખાઈ ગઈ હતી. જાણવા મળ્યું છે કે, કારમાં બેઠેલા ચાલક પ્રતિક મનસુખભાઈ કરકરને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો રાજેશ દલસુખભાઈ વાઘેલા, શનિભાઈ સોલંકી અને અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, માલવિયા પોલીસ મથકના સ્ટાફને જાણ કરવામાં આવતા સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. ત્યાં પહોંચી મૃતક પ્રતીકભાઈના પરિવારનો સંપર્ક કરી જાણ કરવામા આવતા તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. યુવાન પુત્રનો મૃતદેહ જોતા જ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. 

જાણવા મળ્યું છે કે, મૃત્યુ પામનાર પ્રતીક કલરકામનો કોન્ટ્રાક્ટર હતો તે પરિણીત હતો. તે તેમના મિત્રો સહિત ચારેય વ્યક્તિ ગોંડલમાં મિત્રના પુત્રના બર્થ ડે પાર્ટીની ઉજવણી હોવાથી તે પાર્ટી પૂરી કરી રાજકોટ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન  ઉમિયા ચોક નજીક ચાલક પ્રતિકે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એસેન્ટ કાર ચાર ગોથા ખાઈ ગઈ હતી.

પ્રતિક બે ભાઈમાં મોટો હતો. તેમના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ છે. જ્યારે ઘવાયેલા રાજેશ વાઘેલાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 

રાજેશને સારવારમાં લઇ આવેલા સાહિલે જણાવતા કહ્યું હતું કે, રાજેશ છૂટક મજૂરી કામ કરે છે. તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર બનાવ અંગે માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ વનિતાબેન બોરીચા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags

Post a Comment

0 Comments